


Yuvashaktinu Rahasya યુવાશક્તિનું રહસ્ય
આ પુસ્તક રામકૃષ્ણ મઠ, બેંગલોરના 'વિવેકાનંદ યુવક સંઘ'માં આપેલા વ્યાખ્યાનો અને નોંધ પર આધારિત છે. તેનો મુખ્ય હેતુ યુવાનોમાં બૌદ્ધિક, નૈતિક વિકાસ અને બ્રહ્મચર્યનું માર્ગદર્શન આપવાનો છે. આજકાલ સોશિયલ મીડિયા અને ટીવી યુવાનોને ભોગવિલાસ તરફ દોરી જાય છે. આવા સમયે માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ મૂલ્યો આપવા ઈચ્છે છે પરંતુ અસમર્થ છે, આ પુસ્તક એ જરૂરિયાત પૂરી કરે છે.લેખક જણાવે છે કે બ્રહ્મચર્યના આદર્શનું સંપૂર્ણ પાલન અઘરું છે, પરંતુ તેનો થોડો અંશ પણ જીવનમાં ઉતારવામાં આવે તો મોટું પરિવર્તન આવી શકે છે. લેખક (સ્વામી પુરુષોત્તમાનંદ) પોતાના હાઈસ્કૂલના દિવસોનો અનુભવ શેર કરતા કહે છે કે, બ્રહ્મચર્યના પાલનથી તેમનું વ્યક્તિત્વ સમૃદ્ધ બન્યું અને શૈક્ષણિક પરિણામોમાં અભૂતપૂર્વ સુધારો થયો. યુવાપેઢીને આનાથી લાભ થાય એ જ આ પુસ્તકનો સાચો પ્રયાસ છે.




