



Vivekanandajina Sannidhyama વિવેકાનંદજીના સાંનિધ્યમાં
આ પુસ્તક સ્વામી વિવેકાનંદના તેમના પરમ શિષ્ય (શરચ્ચંદ્ર ચક્રવર્તી) સાથે થયેલા આત્મીય વાર્તાલાપો અને સંવાદોનો સંગ્રહ છે. તેમાં વિવેકાનંદજીના વિશાળ હૃદય, માનવજાત પ્રત્યેની સહાનુભૂતિ, આધ્યાત્મિક સાધના, રાષ્ટ્રીય પુનરુત્થાન અને ગરીબો પ્રત્યેની કરુણાના દર્શન થાય છે. આ સંવાદો જીવનના દરેક ક્ષેત્રના માણસોને સાચું માર્ગદર્શન આપે છે. આ વાર્તાલાપો મૂળ બંગાળી માસિક 'ઉદ્બોધન'માં પ્રકાશિત થયા હતા. ગુજરાતી વાચકો માટે તેને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત ‘વિવેકાનંદજીના સાંનિધ્યમાં’ શીર્ષક સાથે નવા આકર્ષક આકાર અને મોટા અક્ષરોમાં નવ સંસ્કરણ રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે.




