


Vedant Ane Manavjatinu Bhavi વેદાંત અને માનવજાતિનું ભાવિ
મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યા દ્વારા અદભુત ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિ (વિકાસ) સાધી છે. પરંતુ, આ બાહ્ય પ્રકૃતિ પર કાબૂ મેળવવાની હોડમાં તેણે પોતાની આંતરિક પ્રકૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોની ઉપેક્ષા કરી છે, જેના કારણે માનવજાત આજે સુખ-સંતોષ ગુમાવીને ઉદ્વેગ અને અશાંતિ અનુભવી રહી છે. માત્ર વૈજ્ઞાનિક કે સમાજવાદી વિચારો આ આધ્યાત્મિક ભૂખ સંતોષી શકે તેમ નથી. આ સ્થિતિમાં તર્કસંગત, વિશ્વવ્યાપી અને માનવતાવાદી 'વેદાંત' મનુષ્યને સાચો માર્ગ બતાવી શકે છે. વેદાંત મનુષ્યને જાગ્રત થઈ આંતરિક દિવ્યતા પ્રકટ કરવા અને ભગવાન તરફ પ્રયાણ કરવાની હાકલ કરે છે. સ્વામી વિવેકાનંદના મતે પણ આ જ સાચો ધર્મ છે.




