





Swami Vivekananda Granthmala Sanchayan (SB) સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન (કાચું પૂંઠુ)
સ્વામી વિવેકાનંદ આધુનિક માનવ અને ખાસ કરીને યુવા પેઢી માટે પ્રેરણાના અખૂટ સ્રોત છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના મતે, સ્વામીજીના વિચારો ક્યારેય અપ્રાસંગિક થતા નથી અને તે યુવાનોને ગૌરવ તેમજ નવી ઉર્જા આપે છે. સ્વામીજીએ વેદાંત અને વૈદિક સંસ્કૃતિનું એવું સરળ પ્રતિપાદન કર્યું જે આજના વિજ્ઞાન-ટેકનોલોજીના યુગમાં પણ સાર્થક છે. તેમણે 'શિવભાવે જીવસેવા' અને રાષ્ટ્રનિર્માણનો અમૂલ્ય બોધપાઠ આપ્યો છે. સ્વામીજીના હજારો પૃષ્ઠોમાં ફેલાયેલા વિપુલ સાહિત્યમાંથી (ભાગ ૧ થી ૧૦ માંથી) દૈનિક જીવન, આધ્યાત્મિક ઉન્નતિ અને રાષ્ટ્રકલ્યાણ માટે ઉપયોગી એવા પ્રેરક અંશોનું સંકલન આ 'સંચયન' ગ્રંથમાં કરવામાં આવ્યું છે, જેથી વાચકો તેમના સાચા વિચારોને સરળતાથી સમજી અને આત્મસાત કરી શકે.




