


Sri Ramakrishnani Antyalila શ્રીરામકૃષ્ણની અન્ત્યલીલા
આ પુસ્તક મૂળ બંગાળી ગ્રંથ 'શ્રીરામકૃષ્ણ ચરિત અન્ત્યલીલા' નો ગુજરાતી અનુવાદ છે. વર્તમાન યુગના અંધકારમાં શ્રીરામકૃષ્ણદેવનું જીવન એક દીવાદાંડી સમાન છે, જે માનવજીવનની સમસ્યાઓનું સમાધાન આપે છે.રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પ્રભાનંદજી મહારાજે વિવિધ પ્રમાણિત સ્ત્રોતો, માસ્ટર મહાશયની ડાયરી અને સામયિકોમાંથી શ્રીરામકૃષ્ણના અંતિમ દિવસોના અજ્ઞાત પ્રસંગો અને સત્યો એકઠા કરીને આ વિવરણ તૈયાર કર્યું છે.આ પુસ્તક માં બલરામભવન, શ્યામપુકુર અને કાશીપુર ઉદ્યાનગૃહમાં અસાધ્ય કેન્સરના રોગ દરમિયાન પણ તેમનું બાલકસહજ આચરણ અને દિવ્ય ભાવસમાધિનું હૃદયસ્પર્શી વર્ણન છે. જેમાં ચિત્રો અને દુર્લભ તસવીરો ઉમેરીને તેને આકર્ષક બનાવવામાં આવ્યું છે.




