



Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે
આ પુસ્તક શ્રીરામકૃષ્ણ પરમહંસના દિવ્ય અને અલૌકિક જીવનના પાસાઓ પર આધારિત છે. વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઇસના મિનિસ્ટર ઇનચાર્જ સ્વામી ચેતનાનંદે તેમના પુસ્તક 'How to Live with God' માં શ્રીરામકૃષ્ણના ચરિત્રને સુંદર રીતે આલેખ્યું છે. જ્યારે મનુષ્ય માયાગ્રસ્ત અને દિશાવિહીન બને, ત્યારે આ પુસ્તક અને શ્રીરામકૃષ્ણના આશ્વાસક વચનો હૃદયમાં શાંતિ આપે છે. આ કોઈ સામાન્ય નવલકથા નથી જેને વાંચીને મૂકી દેવાય. આ પુસ્તકનું નિત્ય વાંચન અને મનન કરીને તેના સારતત્ત્વને પોતાના આચરણમાં ઉતારવું જોઈએ, જેથી માનવજીવન સાર્થક બને. સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે છેલ્લા 48 વર્ષો દરમિયાન પશ્ચિમના દેશોમાં સાધકોને ધ્યાન અને આધ્યાત્મિક બાબતોનું શિક્ષણ આપ્યું છે.




