


Sri Ramakrishna Lilaprasang SET (3 Vols) (HB) શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ સેટ (3 ભાગ) (પાકુ પૂંઠુ)
શ્રી રામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન અને તેમના નિર્વાણ પછી ફેલાયેલી કાલ્પનિક વાતો તથા અવિશ્વાસને દૂર કરવા માટે, સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન હેઠળ સ્વામી સારદાનંદજીએ મૂળ બંગાળીમાં ભારતીય શાસ્ત્રો અને પરંપરા આધારિત અધિકૃત ગ્રંથ 'શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ' ની રચના કરી હતી. આ ગ્રંથ આધ્યાત્મિક સાધના અને મોક્ષની વિગતવાર છણાવટ કરે છે.
શ્રી હરિશંકર પંડ્યા અને શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ દ્વારા અનુવાદિત આ ગ્રંથની નવી ગુજરાતી આવૃત્તિને મૂળ બંગાળી પ્રત સાથે સરખાવીને વધુ સચોટ, આધુનિક અને ક્ષતિરહિત બનાવવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં અનેક સંન્યાસીઓ અને ભક્તોએ સંપાદન તથા જોડણી ચકાસણીમાં સહકાર આપ્યો છે. આ સંશોધિત આવૃત્તિમાં શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય લીલાઓ અને દુર્લભ ઐતિહાસિક છબીઓ પણ સામેલ કરવામાં આવી છે, જેથી ભક્તોમાં ભક્તિ અને જ્ઞાનનો પ્રસાર થાય.




