
Sri Ramakrishna Kathamrut SET (2 Vols) (SB) શ્રીરામકૃષ્ણ કથામૃત સેટ (કાચું પૂંઠુ)
મૂળ બંગાળી ગ્રંથ 'શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત' ના આધારે ગુજરાતી અનુવાદને વધુ સચોટ, માહિતીપૂર્ણ અને વિગતો સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રીરામકૃષ્ણદેવના વચનો ભગવદ્ગીતા જેવા અમૂલ્ય છે. તેમણે ગૂઢ તત્વજ્ઞાન અને નૈતિક મૂંઝવણોને સરળ બોધકથાઓ, રમુજ અને દ્રષ્ટાંતો દ્વારા માનવજાત માટે અત્યંત સુલભ બનાવ્યા છે. મૂળ લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ('શ્રી મ.') દ્વારા આ વચનો કોઈપણ કાલ્પનિક રંગ વગર મૌલિક સ્થિતિમાં ઝીલાયા છે. પુસ્તકમાં લીલાધામો, વ્યક્તિઓના પરિચય, ભજનોની સૂચિ અને માતા શારદાદેવીના આશીર્વાદ પત્રનો સમાવેશ છે.




