


Sri Ramakrishna Jivan Ane Sandesh શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ
જ્યારે સ્વામીજીને શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર લખવાનું સૂચન મળ્યું, ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા. તેમનું માનવું હતું કે શ્રીરામકૃષ્ણ જેવા મહાન વ્યક્તિત્વ વિશે લખવું ખૂબ અઘરું છે, રખેને શિવની મૂર્તિ બનાવવા જતાં વાંદરાની મૂર્તિ બની જાય! સ્વામીજી તેમના પરમ શિષ્ય હોવાથી તેમના વિશે લખવાનો પૂરો અધિકાર ધરાવતા હતા, કારણ કે તેમનો સંબંધ અત્યંત નિકટવર્તી અને કુદરતી હતો.આ પુસ્તક શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામીજીએ અલગ-અલગ સમયે આપેલા વિધાનો અને વિચારોનું સંકલન છે. તે જિજ્ઞાસુઓને એ સમજવામાં મદદ કરશે કે સ્વામીજી પોતાના ગુરુને કઈ દ્રષ્ટિએ જોતા હતા.




