








Sri Ramakrishna Devni Drashtant Kathao શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથા (કાચું પૂંઠું)
શ્રીરામકૃષ્ણદેવના ૧૭૫મા જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ગુજરાતી ભાષામાં સચિત્ર પુસ્તક 'શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથાઓ'નું નવું સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.આ પુસ્તક રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત 'Tales And Parables of Sri Ramakrishna' નો ગુજરાતી અનુવાદ છે, જે સ્વ. દુષ્યંતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસે વિવિધ ધર્મોના સાહિત્યની હૃદયસ્પર્શી દૃષ્ટાંતકથાઓ અને ઘરગથ્થુ ઉદાહરણો દ્વારા ધર્મ, આધ્યાત્મિકતા, ભક્તિ અને સર્વધર્મસમન્વય જેવા ગહન તત્વોને સરળ રીતે સમજાવ્યા છે. આ ઉપદેશોનો મુખ્ય હેતુ લોકોને ઈશ્વરાભિમુખ કરવાનો અને નૈતિક જીવન તરફ વાળવાનો છે. આ દૃષ્ટાંતકથાઓ આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા ભક્તો માટે પ્રેરણાબળ પૂરું પાડે છે.




