








Sri Ramakrishnadevni Amrutvani શ્રી રામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક 'Sayings of Sri Ramakrishna' ના ગુજરાતી અનુવાદ 'શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી' ની આ પુનઃ આવૃત્તિ છે. આધુનિક યુગના વૈજ્ઞાનિક જડવાદ અને ભોગવાદથી માનવજાતને બચાવવા તેમજ સનાતન ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવા માટે ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો હતો. તેમણે પોતાના દિવ્ય જીવન દ્વારા ભારતની આધ્યાત્મિક શક્તિને જાગ્રત કરી અને વિશ્વના તમામ મુખ્ય ધર્મોને પુનર્જીવિત કરી લોકોને અમૃતત્વનો માર્ગ ચીંધ્યો. આ પુસ્તક જિજ્ઞાસુઓના મનનો સંશય દૂર કરી સાચી શ્રદ્ધા જગાડશે તેવી આશા છે.




