


Sri Ramakrishna Aaratrikam શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ્
આ પુસ્તક શ્રી રામકૃષ્ણદેવની આરતી સમયે ગવાતા અમર સ્તવન 'આરાત્રિકમ્' (ખંડન ભવ બંધન) ના મહત્વ પર પ્રકાશ પાડે છે. આ સ્તવનના રચયિતા સ્વામી વિવેકાનંદ છે, જેમણે તેને પરંપરાગત ધ્રુપદ શૈલીમાં લયબદ્ધ કર્યું હતુંઆ સ્તવન સ્વામીજીની તેમના ગુરુ પ્રત્યેની શ્રેષ્ઠ ભાવાંજલિ છે, જેમાં શ્રી રામકૃષ્ણદેવના અનંત ગુણો અને લીલાઓનું વર્ણન છે. આ સ્તવનની ઉદાત્તતા વેદના 'પુરુષસૂક્તમ્' સમાન ગણાવવામાં આવી છે. તે રામકૃષ્ણદેવના દિવ્ય ચરિત્રને સમજવાની ગુરુચાવી સમાન છે.




