



Shikshak to chhe Rashtranirmata શિક્ષક તો છે રાષ્ટ્રનિર્માતા
આ પુસ્તક સ્વામી વિવેકાનંદના શિક્ષણ પ્રત્યેના ઉમદા વિચારો પર કેન્દ્રિત છે. સ્વામીજીના મતે, શિક્ષણ એટલે માત્ર માહિતીનો સંગ્રહ નહીં, પરંતુ જે વિચારો જીવન ઘડતર અને ચારિત્ર્ય નિર્માણમાં મદદરૂપ થાય તેનું ગ્રહણ અને મનન કરવું. જો કોઈ વ્યક્તિ પાંચ સારા વિચારોને પચાવીને પોતાના જીવનમાં ઉતારે, તો તે આખું પુસ્તકાલય મોઢે કરનાર વ્યક્તિ કરતાં વધુ કેળવાયેલી ગણાય.આ પુસ્તક 'શ્રીરામકૃષ્ણ જ્યોત'ના ૧૯૯૬ના 'શિક્ષક' વિશેષાંકના આધારે તૈયાર કરવામાં આવ્યું છે, જે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને અર્પણ કરાયું છે. તેમાં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ અને ગુજરાતના નામી લેખકોના વિચારોનો સમાવેશ થાય છે.




