
Ramakrishna Math Ane Ramakrishna Mision : itihas, Adarsh, Pravruttio રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શ, પ્રવૃત્તિઓ
રામકૃષ્ણ મઠ એક સંન્યાસી-સંઘ છે, જેની સ્થાપના ૧૯મી સદીના મહાન સંત શ્રી રામકૃષ્ણદેવે કરી હતી. જ્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના તેમના મુખ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદે કરી હતી, જે મઠના સંન્યાસીઓ અને ગૃહસ્થ ભક્તોના સહયોગથી ભારતમાં વિવિધ સેવાકાર્યો કરે છે. આ બંને સંસ્થાઓ છેલ્લા ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી સંપૂર્ણ માનવજાતના કલ્યાણ માટે પંથ-નિરપેક્ષ આધ્યાત્મિક આંદોલન ચલાવે છે. તેનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત ભારતનું પ્રાચીન 'વેદાંત-દર્શન' છે. ભારતીય સંસ્કૃતિ આશરે પાંચ હજાર વર્ષ જૂની છે. અનેક આંતરિક મતભેદો, વિદેશી આક્રમણો અને ગુલામી છતાં હિંદુ ધર્મ પોતાની આધ્યાત્મિક શક્તિ અને વેદાંતના ગતિશીલ જીવનદર્શનને કારણે આજે પણ અખંડ અને સુરક્ષિત રહ્યો છે.




