



Mara Gurudev Swami Vivekananda મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ
સ્વામીજીની વિશ્વવિજયી યાત્રા દરમિયાન પ્રભાવિત થયેલા આઇરિશ મહિલા માર્ગરેટ નોબલ (નિવેદિતા) ૧૮૯૮માં ભારત આવ્યા અને સ્વામીજીનું શિષ્યત્વ સ્વીકાર્યું. આ પુસ્તક તેમના ગુરુદેવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાંજલિ છે. સ્વામીજીના સાનિધ્યમાં રહીને તેમણે તેમના ઉદાત્ત ચરિત્રને નિહાળ્યું. તેમણે ભારતમાં નારીશિક્ષણ અને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓને માર્ગદર્શન આપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ અનુવાદ કાર્યમાં ભાવાભિવ્યક્તિ સ્પષ્ટ કરવા માટે રામકૃષ્ણ મઠ, નાગપુરના હિન્દી પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે.આ પુસ્તક વાચકોને સ્વામી વિવેકાનંદના વિરાટ વ્યક્તિત્વને વધુ ઊંડાણપૂર્વક સમજવાની અમૂલ્ય તક પૂરી પાડે છે.




