


Mantradiksha Etle Shu મંત્રદિક્ષા એટલે શું?
આ પુસ્તિકા ‘Spiritual Initiation - What it is?’ નો ગુજરાતી અનુવાદ છે. તેમાં આધ્યાત્મિક માર્ગ પર સાચા ગુરુના મહત્વ અને મંત્રદીક્ષાના અર્થ વિશે સમજાવવામાં આવ્યું છે.ગુરુ શિષ્યને એક પવિત્ર મંત્ર આપે છે, જેનો જાપ કરવાથી જીવનના સર્વોચ્ચ ધ્યેય સુધી પહોંચી શકાય છે. જેમ ખેડૂત વાવણી પહેલા જમીન ખેડે છે, તેમ દીક્ષા લેતા પહેલા સાધકે ચોક્કસ સદગુણો કેળવવા જરૂરી છે. આ પુસ્તિકા રામકૃષ્ણ મઠના ૧૨મા પ્રમુખ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા લખાયેલી છે, જેમણે હજારો ભક્તોને માર્ગદર્શન અને મંત્રદીક્ષા આપી હતી.આ પુસ્તિકા જિજ્ઞાસુઓને દીક્ષાની ગહનતા અને ધ્યાન-સાધનાની ઝીણવટભરી વિગતો સમજવામાં મદદરૂપ થાય છે.




