


Karma Ane Tenu Rahasya કર્મ અને તેનું રહસ્ય
'કર્મ અને તેનું રહસ્ય' પુસ્તિકાનું આ નૂતન સંસ્કરણ છે. તેમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (ભાગ-૧) માંથી ૪ જાન્યુઆરી, ૧૯૦૦ ના રોજ લોસ એન્જલસમાં આપેલ વ્યાખ્યાન અને 'કર્મનું રહસ્ય' એમ બે પ્રકરણોનો સમાવેશ થાય છે.સ્વામીજીના મતે માનવના દુઃખનું મુખ્ય કારણ મોહ અને આસક્તિ છે. નિર્બળ મનવાળા લોકો ગુલામી વહોરે છે, જ્યારે અનાસક્ત અને નિર્મોહી મનવાળા લોકોને જ સાચી સ્વતંત્રતા મળે છે. સાચા સુખ, આનંદ અને પ્રેમની પ્રાપ્તિ માટે નિષ્કામ કર્મયોગ તથા આસક્તિવિહોણો પ્રેમ કેળવવાની અને જીવનને સફળ બનાવવાની સાચી શિખામણ આ પુસ્તિકામાં આપવામાં આવી છે.




