
Divyavani દિવ્યવાણી
સને ૧૮૯૫માં સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સતત વ્યાખ્યાનો આપીને થાકી ગયા ત્યારે ભક્તોના આગ્રહથી ન્યૂયોર્ક નજીક 'સહસ્ર દ્વીપોદ્યાન' (થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક) નામના ટાપુ પર એકાંતવાસ માટે ગયા હતા. ત્યાં તેમના બાર જેટલા શિષ્યોએ તેમની સાથે રહીને તેમના પ્રેરણાદાયી ઉપદેશોનું શ્રવણ કર્યું અને સાધના કરી. તેમના પૈકીના એક શિષ્યા મિસ. એસ. ઇ. વાલ્ડોએ સ્વામીજીના આ ભવ્ય વિચારો અને ઉપદેશોની નોંધ પોતાની રોજનીશી (ડાયરી) માં રાખી હતી, જે આ પુસ્તિકાનો મુખ્ય આધાર છે. સ્વામીજી પણ તેમની આ અદભુત રીતે સંગ્રહિત કરેલી નોંધો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.




