








Devi Kirtan Ane Bhajano દેવીકીર્તન અને ભજનો
ભગવાનની સ્મૃતિને હૃદયમાં જીવંત રાખવા માટે ભક્તિમૂલક ભજનો સર્વોત્કૃષ્ટ સાધન છે. શ્રી રામકૃષ્ણદેવ ભજન-સંગીતમાં અત્યંત ભાવ અને રાગ-લયની શુદ્ધતા આગ્રહી હતા. સ્વામી વિવેકાનંદના મધુર કંઠે ભજનો સાંભળી તેઓ સમાધિસ્થ થઈ જતા. મા શારદાદેવીના ભજનોની પણ તેમણે પ્રશંસા કરી હતી. પુસ્તિકામાં મા કાલી અને મા દુર્ગાના (ખાસ કરીને નવરાત્રીના અષ્ટમીના) ભજનો છે. બંગાળની પરંપરા મુજબ મા દુર્ગા (ઉમા) પિયર આવે ત્યારે તેમના સ્વાગત માટે ગવાતા 'આગમની' ગીતો બેલુર મઠ અને રામકૃષ્ણ મિશનમાં આજે પણ ગવાય છે. મોટાભાગના ભજનો મૂળ બંગાળી મૂળાક્ષરો અને સાચા ઉચ્ચારણ સાથે આપવામાં આવ્યા છે, જેથી ભજનપ્રેમી વાચકોમાં ભક્તિભાવ વધે.




