



Bharatma Apela Bhashano ભારતમાં આપેલાં ભાષણો
૧૮૯૭માં પશ્ચિમના દેશોમાં વેદાંતનો પ્રચાર કરીને જ્યારે સ્વામીજી ભારત પરત ફર્યા, ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમનું ભવ્ય સ્વાગત થયું. આ પુસ્તક તે સમયગાળા દરમિયાન અપાયેલા તેમના વ્યાખ્યાનોનો સંગ્રહ છે.તેમના ભાષણોનો મુખ્ય સૂર દેશપ્રેમ, જનતાનો ઉદ્ધાર અને આધ્યાત્મિકતા સાથે આધુનિક વિજ્ઞાનનો સમન્વય સાધવાનો છે. તેઓ ભારતીય યુવાનોને નિરક્ષરતા અને ગરીબી દૂર કરી રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરે છે.સ્વામીજીએ 'ત્યાગ અને સેવા'ના મંત્ર દ્વારા દરિદ્ર અને અશિક્ષિત લોકોમાં 'નારાયણ'ના દર્શન કરી તેમની સેવા કરવાનું આહ્વાન કર્યું છે. આ પુસ્તક આજની પેઢી માટે પણ સાચું માર્ગદર્શન અને રાષ્ટ્રઘડતરની અખૂટ પ્રેરણા પૂરી પાડે છે.




