
Bhagavad Gitano Vaishvik Sandesh (Part-2) ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ (ભાગ-2)
આ પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-૫ થી અધ્યાય-૧૧ ના શ્લોકોનું આધુનિક વિચારોના સંદર્ભમાં વિશ્લેષણાત્મક વિવેચન છે. તે મૂળ અંગ્રેજી ગ્રંથ 'Universal Message of the Bhagavad Gita' નો ગુજરાતી અનુવાદ છે. ગીતા એ સાક્ષાત્ ભગવાનની દિવ્યવાણી છે, જે મનુષ્યમાત્રના કલ્યાણ અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે છે. સ્વામી રંગનાથાનંદજીએ દેશ-વિદેશમાં વેદાંત અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે. તેમના પ્રવચનો સરળ, વ્યવહારુ અને જ્ઞાનવર્ધક છે. પુસ્તક વાચકોને જીવનના પરમ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે સાચું માર્ગદર્શન પૂરું પાડે છે.




