


Arvachin Yugma Mahilao અર્વાચીન યુગમાં મહિલાઓ
આ પુસ્તિકા ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત 'Women in the Modern Age' નો ગુજરાતી અનુવાદ છે, જેનું નામ ‘અર્વાચીન યુગમાં મહિલાઓ’ છે. તેનો ગુજરાતી અનુવાદ શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યો છે. આમાં રામકૃષ્ણ મઠ-મિશનના ૧૩મા પરમાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજે સપ્ટેમ્બર ૧૯૮૬માં કાશ્મીરની 'ગવર્નમેન્ટ કૉલેજ ફોર વિમેન'માં આપેલા પ્રવચનનો સંગ્રહ છે. પુસ્તકમાં ખાસ કરીને પશ્ચિમી સ્ત્રીઓના પ્રશ્નો અને તેમની સફળતાની ચર્ચા છે. સ્વામીજી દર્શાવે છે કે પશ્ચિમના નારીમુક્તિ આંદોલનની ફિલસૂફી બદલવાની જરૂર છે, કારણ કે નારીત્વના સ્પર્શ (સંસ્કાર) વિનાની સફળતા નકામી છે. ભારતીય પરંપરા મજબૂત તત્વદર્શન પર આધારિત છે, જે સ્ત્રીઓને સમાજમાં આદર અને સ્થાન જાળવવામાં મદદ કરે છે. સાચી મુક્તિ અંગેના આ વિચારો આજની નારીઓને માર્ગદર્શક બનશે.




