




Adhunik Manav Mate Srimad Bhagavatano Sandesh આધુનિક માનવ માટે શ્રીમદ્ ભાગવતનો સંદેશ
શ્રીરામકૃષ્ણદેવને દક્ષિણેશ્વરમાં શ્રીમદ્ ભાગવતની કથા સાંભળતી વખતે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન થયા હતા. તેમને અનુભવાયું કે ભાગવત (શાસ્ત્ર), ભક્ત અને ભગવાન—આ ત્રણેય ભિન્ન સ્વરૂપો હોવા છતાં વાસ્તવમાં એક જ તત્વ છે.આ પુસ્તકના લેખો 'દિવ્ય ભાસ્કર' દૈનિકની સાપ્તાહિક પૂર્તિ 'ધર્મદર્શન'માં પ્રકાશિત થયા હતા, જેમાં પૂ. સ્વામી ગીતાનંદજી મહારાજના ગ્રંથની સહાય લેવામાં આવી છે. આજના આધુનિક સમયમાં ચિંતા અને સમસ્યાઓથી ઘેરાયેલો માનવી શાંતિ અને તણાવમુક્તિ શોધી રહ્યો છે. આ પુસ્તક વાચકોને તેમના દૈનિક જીવનમાં અને જીવનભર શાશ્વત શાંતિ મેળવવામાં મદદરૂપ બને તેવી પ્રાર્થનાછે.




