


Adarsh Manavnu Nirman આદર્શ માનવનું નિર્માણ
પશ્ચિમના દેશોના પ્રવાસ પછી ભારતમાં સ્વામીજીએ આપેલા વ્યાખ્યાનોનો મુખ્ય સૂર એ છે કે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલી આધ્યાત્મિકતા જ ભારતનો ઉદ્ધાર કરશે. આ પુસ્તિકામાં ભારતના નાગરિકોના આદર્શ જીવન, ચારિત્ર્ય નિર્માણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્યકરોના ઘડતર અંગેના સ્વામીજીના વિચારો છે. તેમાં યુવાનો અને વડીલો માટે નિર્ભયતા, આત્મશ્રદ્ધા, સેવા, પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવના જેવા પ્રેરણાદાયી ગુણોનું સંકલન છે. આ નવું સંસ્કરણ ગુજરાતની જનતા અને ખાસ કરીને આજના યુવાનોને પ્રેરણા આપશે તેવી પ્રકાશકની અપેક્ષા છે.




